૧૩-૧૨-૫૩ રાતના
૧૧
પ્રિય
હેમેન્દ્ર,
તારો
પત્ર મળ્યો વાંચી બીના જાણી અને
આવીજ રીતે અવારનવાર ખુલ્લા
દિલે પત્ર લખતો રહેજે
કે જેથી તને પણ
થોડોક આરામ રહેશે.
મને
પણ ઘણીવાર તારા જેવા અનુભવો
થાય છે અને મન
એવાતો ચકરાવે ચડી જાય છે
કે ઘણીવાર તો એમ પણ
મેં વિચાર કરી નાખ્યો હશે
કે આના કરતા તો
આ દુનિયા પર ન હોવુ
સારું પરંતુ એ મુર્ખાઈ ફરી
શકતો નથી. આપણે આ
દુનિયામાં શું લઈને આવેલા
? કાંઈ જ નહિ. અને
લઈ પણ જવાના નથી.
તો બીજાની સાથે આપણે શા
માટે સબંધ બગાડવો જોઈએ
આપણાથી બનતું સગપણું બીજા માટે કરી
છૂટવું જોઈએ અને અંતે
પણ કોઈ આપણને ધીક્કારે
કાંઈ કડવા વચનો કહેતો
પણ એમ જ માનવું
કે તેઓ જે કાંઈ
કહે છે તે આપણા
ભલા માટે જ. આપણું
મન જ એટલું
વિચિત્ર
છે કે કોઈ આપણી
ખુશામત કરશે તો આપણને
આનંદ થશે પછી ભલેને
તે ખોટી હોય પરંતુ
જો કોઈ આપણી સાચી
ટીકા રજમાત્ર પણ કરશે તો
આપણને ખૂબ જ લાગી
આવે છે. પણ ખરી
રીતે એ ટીકાને સાચા
અર્થમાં જ લઈને તે
ભૂલ બીજીવાર ન બને તથા
કોઈને ટીકા કરવાનો અવસર
જ મળે તેવું વર્તન
કરી નાખવું જોઈએ......
હજી
ઘણું લખવા વિચાર હતો
પરંતુ ખરો મૂડ આવ્યોને
પેન બબડ્ય મંડી કરી બેઠી
અત્યારે ઘરમાં બધા સુઈ ગયા
છે અને હું રસોડામાં
બેસીને પત્ર લખું છું
એટલે શાહી સુધી પણ
પહોચ્યા શાહુ તેમ નથી
અને કાગળ પર જે
પત્ર પૂરો કરવાને રાત્રીના
તા ૧૪/૧


No comments:
Post a Comment