To, पुष्पाबेन (Pushpaben)
C/o Amritlal M. Khara KHARA BROS. 203/1 M. G. ROAD CALCUTTA - 7
इस
पत्र के भीतर कुछ
न रखिये NO ENCLOSURES ALLOWED प्रेषक का नाम और
पता :— SENDER'S NAME
AND ADDRESS :—
H. C. PAREKH Bhanu-Villa, Plot
#22, Road #9, Juhu-Scheme, Bombay - 400049
૨૫-૩-૭૪ મુંબઈ
પ્રિય
વ્હેન, તમારો કાગળ મળ્યો. Inter નો
બોજો વધતો જાય છે
અને તેમાંથી જો મુક્તિ આરામ
તો છાપું વાંચ્યા સિવાય બીજું કશું કરવાનું મન
નથી થતું. ઘણીવાર એમ થાય છે
કે વ્હેલાં રીટાયર થઈ કોઈ નાની
કન્યામાં (સંસ્થામાં) જઈ રહેવું. પણ
બાંધી આવક પગારદાર ને
માટે તો, જ્યાં સુધી
શરીર ચાલે ત્યાં સુધી
ખેંચાયા સિવાય બીજો કોઈ ઉપાય
નથી જાણતો. ટેક્ષ વધતાં જાય છે અને
પગાર ઉપર ક૫ મુકાય
છે. છેલ્લાં ૨ વર્ષમાં લગભગ
૨૦ મેનેજરો નોકરી છોડી કાંતો ધંધો
શરૂ કર્યો અથવા તો દુબઈ-કુવૈત દિ૦ સ્થળે ચાલ્યા
ગયાં.
જીવનમાં
ક્યાં મુશ્કેલીઓ હરીફાઈ વધતી જાય છે.
મુંબઈ જેવા શહેરમાં પર્ણ
નાં બાળને K.G. માં દાખલ થવા
માટે
બાળકે
અને મા-બાપે, બન્નેએ
ઈન્ટરવ્યુ આપવો પડે છે!
ક્યારેક ડોનેશન પણ આપવું પડે
છે. મનીષનાં ૨ દોસ્ત, ૮૪%
માર્ક લેવા છતાં મણીપાલ
એન્જી. કોલેજમાં રૂ. ૧૭૦૦૦/- ડોનેશન
આપીને ગયાં છે.
મનીષે
૩ વર્ષ, સવારનાં ૬ થી રાતનાં
૧૧ સુધી લોહીનું પાણી
થાય તેવી રીતે અભ્યાસ
કર્યો ત્યારે માંડ (૮૧% માર્ક હોવા
છતાં) બનારસ માં એડમિશન મળ્યું.
૪ વર્ષ પણ (દરેક
વર્ષે ફર્સ્ટ ક્લાસ સાથેતો પણ) મોટી કંપની
માં નોકરી માટે ૫૦૦૦ એન્જીનિયરો
સાથે હરીફાઈ માં ઈન્ટરવ્યુમાં પાસ
થશે તો નોકરી મળશે!
નિર્મિત અત્યારે ૮માં ધોરણમાં આવ્યો
પણ જે બાયોલોજી-ફીઝીક્સ
અને ગણિત, મને Inter Science માં સફળતા તે
અત્યારે તેને આવડે છે!
હું પોતે ૧/૨
fact વાંચુ ત્યારે પણ જ તેને
ભણાવી શકું છું. આપણી
હરીફાઈ ક્યાં જઈને પંચાશે તે
ખબર નથી. ઓફિસનું કામ
એટલું રહે છે કે
લગભગ હંમેશા રાત્રે અથવા વ્હેલી સવારે
૧ fact ઘેર બેસીને ફાઈલો
તપાસવી
પડે છે. સવારે ૮
વાગે ઘેરથી નીકળી સાંજે ૭ વાગે ઘેર
પહોંચ્યા પછી પણ જો
ઓફિસનું કામ કરવું પડે
તો પછી કૌટુંબિક જીવન
જેવું ક્યાંથી રહે? હમણાં એક
અમેરિકન માનસ-શાસ્ત્રી અમારે
ત્યાં આવેલા ત્યારે બધાં મેનેજરો અને
એમની પત્નીઓની આ જ ફરિયાદ
હતી.
મારી
તબિયત હવે સારી છે.
ઓપરેશન પણ થોડાં દિવસ
લંબાઈ રહી. ભારતી ને
હજુ રોજ ડ્રેસિંગ કરાવવા
જવું પડે છે. હજુ
૧૫ દિવસ લાગશે. મનીષ
ઓપરેશન વખતે અમદાવાદ આવેલો.
હવે મે મહિનામાં પરીક્ષા
પણ આપશે. અમે તમને ફોન
કરવા ઘણો પ્રયત્ન કર્યો
પણ લાગ્યો નહિં. રસીકભાઈ ઓપરેશન વખતે અમદાવાદ આવેલા
પણ હું તો શુદ્ધિમાં
નહોતો. હમણાં રસીકભાઈ-જગદીશ કિ. બરોડાથી આવતાં
વેવાઈએ જમવા રાખેલું. પણ
મારે તો ઓફિસ જવાનું
હતું તેથી નહોતો ગયો.
આજે ટી.વી. પર
"કાશીનાથ" (આશિત બરન) બતાવવાના
છે. પીંજુ નું મુઝીક ટેપ
કરવા વિચાર છે. શરદભાઈ શૈલેષ
ને ફોન કરેલ-બન્ને
ઘરે. પણ સંદેશો આપ્યો
નહિ હોય - રાહ જોઈ હતી.
પૂ. રાધિબાની તબિયત કેમ છે? દેશમાં
ક્યાં ત્યારે જાઓ છો? ત્યાં
સૌને યાદી. એજ વિ.
જહુનાં
પ્રણામ.



