22/06/08
પ્રિય
અનુભાઈ-ભાભી
આપણે
ફોનમાં વાત થયા બાદ,
તમારા તરફથી ચારેય સંસ્થાઓનું literature મળ્યું. વાંચ્યું.
દરેકનાં
સ્તરનું ઘણું સારું કામ
થઈ રહ્યું છે. પણ શ્રી
દાદાજીબાપુનું, ગરીબ બાળકોને જમાડવાનું
કામ એ વધુ ગમ્યું
– તેથી આ સાથે એક
ચેક (No 762737) રૂ. ૫૦૦૦/= નો
મોકલું છું જે એમને
પંચાડી દેશો. જો તેઓ 80G ની
રસીદ આપતા હોયતો લઈને
મને મોકલશો (H. C. PAREKH નાં નામની).
ગયા
અઠવાડીયે, મારે ભાનુબેન / ડો.
રજનીકલાલ સાથે પણ વાત
થઈ. એમની સેવા-પ્રવૃત્તિ
થી તો આપણે સૌ
વાકેફ છીએ. વધારે વિચાર
કરતાં એમ લાગ્યું, પાર્શ્વભક્તિ
ટ્રસ્ટ ને બદલે Gujarat Blind Relief & Health
Association ને મોટી રકમની મદદ
કરવી, તેવી ભારતિ અને
મારી ઈચ્છા થઈ. તેથી મારા
૭૫ માં જન્મદિન ની
યાદમાં, આજે, તેમને, રૂ.
૭૫૦૦૦/= નો ચેક મોકલાવી
આપ્યો.
તમારા
સૌની તબિયત સારી હશે. નિયતિ
/ અંકેશ આજે સવાર ના
Flight માં લંડન ગયાં. મનિષ
ગુરૂવારે જશે. ૨૫ તા.
૩ નાં પાછા આવશે.
અનોખીનું final exam
paper સપ્ટેમ્બર માં છે. જો
ઈચ્છા થશે તો બીજું
૧ વર્ષ ભણશે.
એજલિ.
બટુકભાઈ નાં પ્રણામ.


No comments:
Post a Comment