Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 30 January 2017

MANJU BEN- 02/07/1951

તા:- //૫૮

ધ્રાંગધ્રા

પૂ. બટુકભાઈ

ખબર મળી મુસાફરી હશે સ્વપ્નામાં પણ ખ્યાલ નહોતો કે આપણી વહાલી બહેન ઉમા આપણને સૌને છોડીને જઈ શકે. પરમદિવસે સાંજે વડીયા આબદા ઓફિસે આવ્યો ત્યારે ખબર પડી કે બા, બાપુજી ઉમાને લઈને અહિં આવ્યા છે. તુરંત મળવા ગયો અને ઉમાને જોઈ તો હું ડઘાઈ ગયો. શરીર સાવ અડધું થઈ ગયું હતું. એના રોમે રોમમાં ઝેર પ્રસરી ગયું હતું અને છેવટે ગઈકાલ વહેલી સવારે આપણને સૌને રડતા મૂકી પ્રભુના ધામ ભેગી ચાલી ગઈ. રોઈ રોઈ સાંત્વના આપવા ઘણો યત્ન કર્યો, હૃદય સાવ ભાંગી પડ્યું છે. શું થાય? કદાચ તેનો આપણી સાથેનો ઋણાનુબંધ પૂરો થયો હશે. આપણી વસંતની માફક જલ્દી ને ગાઢ અંધકારમાં ઓગળી ગઈ. ખેર! પ્રભુની ઈચ્છા બળવાન છે. એને ભોગવ્યા સિવાય છુટકો નથી. કદાચ જીવનભર આપણે એને નહિ ભૂલી શકીએ એનું નિર્દોષ હસતું મુખ હરઘડી નજર સામે તરવરશે. આપણા ઘરમાં પ્રથમ પ્રસંગ હોય સૌને ખુબ લાગી આવે સ્વાભાવિક છે. મૃત્યુ આટલું બધું ભયંકર હોઈ શકે પણ આજે સમજાયું. તમે ત્યાં એકલા છો એટલે તમારે પોતે આશ્વાસન મેળવવું રહેશે. હિંમત રાખજો અને બાપુજીને વિગતવાર પત્ર લખતા રહેશો. વિશેષ સાચવીને રહેશો.

બીજી એક અગત્યની વાત માર્કશીટ તે મળે એટલે પિયુષને મોકલી આપજો. તેમના કોલેજના Caution money માટે કાંઈ તમારે લખવું જોઈશે નહીં. તમે પ્રિન્સીપાલ ઉપર એક એવો કાગળ લખજો કે ચીઠ્ઠી લાવનાર હરહરલાલ છે અને તેમને મારા પૈસા આપી દેજો જી.

 

પ્રિય ભાઈ બટુક,

તને ખબર તો મળી ચૂક્યા હશે કે આપણી વહાલી લાડકી બહેન ઉમા સૌને મૂકીને ચાલ્યા ગઈ છે. ટાઈફોઈડ તાવે છેવટ એનો જીવ લીધો. ફક્ત ત્રણ દિવસની બિમારી. અહિંથી બા, બાપુજી એને મોટરમાં રાજકોટ લઈ ગયા ડોક્ટરોએ આશા મૂકી દીધી. ત્યારબાદ ફક્ત ૨૪ કલાક રાત રહી, સવારના તો દેહ છોડ્યો. છેવટે રામનામ, વિ. ધર્મના નામ લીધેલા. બાપુજી, બા તથા મોટા ભાઈને બની શકે એટલું બધું કરી છૂટ્યા, પણ એની જીંદગી પૂરી થઈ ગયેલી એટલે આપણા ઘર ઉપર અસહ્ય આફત આવી પડી છે. સૌના હૃદય રડી રહ્યા છે, પણ દિલ મજબૂત કર્યા સિવાય છૂટકો કોઈ નથી. એના આત્માને શાંતિ આપવા ખાતર પણ આપણે રડવાનું બંધ રાખવું જોઈએ. એની ચેષ્ટા ને એનું હસમુખું આપણી સામે શાંતિ મય એવી વસ્તુઓ તરવરે છે. તું ત્યાં એકલો છે એટલે તારી તબિયત સાચવજે. બાપુજીને આશ્વાસન લેવાનું રહ્યું છે લાલુભાઈને ઘરે જઈ એને પણ ખબર આપી દીધા છે. તું સાથે રહી હિંમત રાખજે.

વિશેષ શું? હિંમતમાં રહેજે. એના આત્માને પ્રભુ શાંતિ આપે ઈચ્છીએ. — લિ. મંજુ

 




No comments:

Post a Comment