To Hemendrabhai C. Parekh.
140 A 'Vikas' 2nd Floor 2nd Cross
Road
Shivaji Park Dadar (B.B.) ↑
Bombay - 28
તા-૧૫/૧૦/૫૭
ગુરૂવાર
જટુકભાઈ,
તમારો તથા ગીતાનો કાગળ
આજે મળ્યો વાંચી થોડીવાર સુધી ખુબ રડી,
એટલા માટે નહિ કે
તમે જે બધુ લખ્યુ
છે એ મને નથી
ગમ્યુ પરંતુ એટલા માટે કે
મારા વેવિશાળનો પ્રશ્ન ઘરમાં સૌને માથે આટલો
બધો બોજારૂપ બની રહ્યો છે
અને તમે પણ એથી
વંચિત નથી રહી શકતા.
તમે તમારા લગ્ન આ ખાતર
લંબાવે મને ન માણી
શકો એ જાણી ખુબ
દુઃખ થાય છે. હું
તમારાથી ઉંમરમાં મોટી તો નથી
જ તો પણ તમારા
મનમાં આવુ લાગે એ
જાણીને મને દુઃખ ન
થાય તો બીજુ શું
થાય? આપણા સમાજમાં છોકરી
થઈને જન્મવું એ આટલા માટે
જ કમનસીબી ગણાય છે ને!
નહિતર અત્યારે આ પ્રશ્ન માટે
સૌના મન આટલા બધા
ચિંતિત શા માટે બને?
આપણી સામાજીક રીત જ એવી
છે એટલે એમ થાય
એ સ્વાભાવિક છે.
મેં
અભ્યાસ છોડી દીધો ત્યારે
તમે તમારી ડાયરીમાં લખેલા શબ્દો તમે અત્યારે ન
લખ્યા હોત તો પણ
યાદ જ છે અને
એ સાચુ જ છે.
પરંતુ ત્યારે એ ઉંમરે અત્યારે
છે એટલી વિચાર યા
સમજ શક્તિ ન્હોતી. ત્યારબાદ સમજ પડી પરંતુ
બા-બાપુજી ખાતર મેં મારી
પ્રગતિ રોકી અને આટલા
વર્ષો અહીં-
માં
ગાળ્યા અને અત્યારે બહારનાં
વાતાવરણને જોતા એમ લાગે
છે કે મેં આટલા
વર્ષો અહીં રહીને ઘણું
ગુમાવ્યું છે મેળવ્યું નથી
હવે પછીની જીંદગીમાં લગભગ અશક્ય જ
ગણાય અને એનો અફસોસ
જીંદગીભર સુધી રહેશે. અભ્યાસ
છોડ્યો ત્યારે મારી જ ભૂલ
થઈ હતી પરંતુ ત્યારબાદ
કંઈ ન કરી શકી
એ મારો દોષ નથી
પણ એ માટે પણ
સૌ મને જ જવાબદાર
ગણે છે. બા-બાપુજીની
ડાયરી વિગરેને કારણે હું અહીં રહીને
તો કંઈ ન કરી
શક્ત પરંતુ રાજકોટ હોત તો ઘણું
બીજુ શીખી શકી હોત.
હજી પણ એ ક્વાહેશ
છે કે જીંદગીનાં બાકીનાં
વર્ષોમાં જે જે વિષયોમાં
મને રસ છે એ
બની શકે તો એ
માટે પ્રયત્ન કરવો ખરા એ
બધી વાતો જવા દઉં
છું ગયે એ માટે
અફસોસ કરવાને બદલે ભૂલવાનો પ્રયત્ન
કરવો એ જ યોગ્ય
છે. જે હકિકત બની
ગઈ છે એને ગીતા
પરનાં પત્રમાંથી તમે જાણી એ
પણ ભૂલવા પ્રયત્ન કરું છું. તમે
લખો છો એ સાચુ
જ છે કે લગ્ન
મનની હા પાડવી એ
એક જુગાર છે જેનો આપણી
સાથે પડે છે ત્યારે
જ અનુભવ થાય છે. નરેશ
માટેની અપેક્ષા હંમેશા શંકાશીલ ન હતી અને
એવી વ્યક્તિ પાસેથી આ જાતની અપેક્ષા
રાખવી એ મુર્ખાઈ ગણાય-માત્ર મારા માટે. એ
તમારા લગ્નમાં આવે કે ન
આવે એ સાથે મને
કશી જ નિસ્બત રહેતી
નથી, અમુક બાબતો જીંદગીમાં
એવી બની જાય છે
કે એ જીંદગી સુધી
ભૂલાતી નથી પરંતુ એવી
વાતને ભૂલવા પ્રયત્ન કરવો એ જ
વધુ યોગ્ય ગણાય. આ હકિકત તમને
નથી સમજા-
એવું
નથી પણ મને પોતાને
પણ સમજાતી નથી. મનમાં જે
Qualification નથી એ સ્વામી વ્યક્તિ
માટે માર્ગવવો એ અડચણ છે
એ સારી રીતે સમજુ
છું. જે ભાઈ માટે
વાત થઈ છે એ
Ugly looking તો નથી જ પરંતુ
એ સમયે ન સમજાય
એવી મૂંઝવણ થઈ એટલે 'ના'
પાડી. આટલા દિવસોનાં વિચારોને
અંતે એમ લાગે છે
કે સૌની ઈચ્છાને અવગ-ણીને હું ના
પાડુ છું એ મારા
Qualification જોતા ઠીક નથી. વ્હેનનાં
અને ચંદાબ્હેનનાં પત્રમાં પણ ઘણી સમજવા
જેવી વાતો હતી કે
આપણા સમાજમાં છોકરીનું સગપણ કરવું એ
કેટલી મુશ્કેલ વાત છે અને
એ સાચુ જ હશે.
જેમની સાથે વાત થઈ
છે એ લોકો એ
દિવાળી સુધી રાહ જોશે
એમ કહ્યુ છે. એ ભાઈનાં
બાપાનો સ્વભાવ બહુ કડક છે
એમ સૌ કહે છે
પરંતુ હું માનુ છું
ત્યાં સુધી એવું કોઈ
પણ કુટુંબ નહિ હોય કે
જ્યાં દરેક વ્યક્તિ સારી
જ હોય, એવી બાબતનો
સામનો તો કરવાનો રહ્યો.
એ લોકો કાયમ માટે
બર્મા છોડીને આવ્યા છે એટલે હજી
અહીં કોઈ business શરુ કર્યો નથી.
પહેલાં ના પાડીને હવે
'હા' પાડુ એ માટે
સૌ મને વિચિત્ર કહેશે
પણ શું કરું? જેમ
જેમ વર્ષો આ રીતે વિતતા
જાય છે એમ સૌનાં
મધ્યે ચિંતા વિશેષ કરીને બાપુજી ને માથે વધતી
જાય છે એ કરતા
એ પ્રશ્નનો ગમે તેવો નિવેડો
આવી જાય એ જ
વધુ યોગ્ય છે. શું લખું?
મનુષ્યની દરેક અપેક્ષા-ઈચ્છા
પુરી થઈ શકતી નથી
એ જીંદગીની tragedy જ છે ને!
ગીતાને ૨-૩ દિવસમાં
જવાબ લખીશ. - જ્યોતિ
કાગળ
જટુકભાઈને આપશો.




No comments:
Post a Comment