Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 10 February 2017

BOTADRA - 25/03/1956

 

To. Hemendra. C. Parikh.

616, E. Daniel. (Research Annexe)

CHAMPAIGN (Illinois) 1008 W. Illinois Urbana U.S.A.

 

મુંબઈ રવિવાર તા. ૨૫..૫૬.

પ્રિય ભાઈ હેમેન્દ્ર,

ઘણા વખતથી આપણો પત્રવ્યવહાર બંધ પડી ગયો છે. આશા છે ફરી ચાલુ થઈ જશે. દુનિયામાં ખૂબ ખૂબ બની રહ્યું છે વળી તમે એવા દેશમાં છો જે લગભગ આખી દુનિયામાં અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. આપણા બંને દેશો વચ્ચે કમનસીબે ઘણા તીવ્ર મતભેદો છે. સારું તો સામાન્ય રીતે દરેકને એમ લાગે છે અમેરીકા દેખીતી રીતે આપણને તેની તરફ પ્રયાણ વર્તન કરવા ફરજ પાડવા માગે છે. પછી તે સામ, દામ, દંડ ભેદ થિ. થી પણ તેમ કરશે તેવું તેના હાCurrent વર્તન ઉપરથી લાગશે. કારણ પાકિસ્તાન જે આપણી ગમે તેટલી તેની સામેની ક્ષમતા છતાંય ધમાલ કરી રહ્યું છે તેને પણ અમેરીકા શસ્ત્ર સજ્જ કરે છે વળી બંને દેશોના કાશ્મીરના ઝઘડામાં તે શા માટે પડતું હશે? જો તેના લશ્કરી કરારો સામ્યવાદ સામે દેશપૂરા માટે હોય તો કાશ્મીરમાં સામ્યવાદ નથી તેમજ કાશ્મીરે પાકિસ્તાન ઉપર હલ્લો નથી કર્યો પણ પાકિસ્તાને કાશ્મીર ઉપર હલ્લો કર્યો છે. વળી ગોવા વિશે પણ તેણે પૂરે પૂરૂં પોર્ટુગલને ટેકો આપ્યો. ડેમોક્રેટીક અમેરિકા આમ કેમ

 

કરે છે. બધું સાચવવાનું કારણ એટલું કે તમે ત્યાંના સામાન્ય પ્રજાજનોના અભિપ્રાયો જાણતા હો તે કદાચ ત્યાંની સરકાર સાથે પળતાઈને મળતા પણ હોય. કારણ કેટલા હિંદીઓ અમેરીકાથી આવશે મગર ત્યાં છે તેઓ એમ કહે છે કે અમેરીકા ખરેખર હિન્દને ટેકો આપવા માગે છે તેની કોઈ બુરી દાનત નથી તમારો અભિપ્રાય ઘણો કિંમતી થઈ પડશે. બાકી તમારી તબિયત સારી હશે? અભ્યાસ કેમ ચાલે છે? મનમાં ધીરજ.

બાકી તો અહિ થોડા વખતમાં નવા રાજ્યો રચાશે. પંજાબનો ઝઘડો પતી ગયો છે. મુંબઈનું હજી સોપાય છે. કદાચ મહારાષ્ટ્રને આપશે. બીજી પંચવર્ષીય યોજના અમલમાં મૂકવા સરકાર પૂરી ઉત્સુક હતી પણ પાકિસ્તાનના સામંતો સાથે રહીને સરહદ પરના વારંવારના હુમલાથી એક કદાચ તેઓ ઉત્પાદી સંકલ્પો પર જોર મૂકે. ખેર! આઝાદી

 

કાજે સુખ આપણે ખેડકારી ટપશે વિ. આશાએ આમ ટસો મડાઈ જાય છે. ભારત પૂરૂ ભાગ્યશાળી છે કે તેને નરેદ્ર જેવો મહા પુરુષ મળ્યો છે. દુનિયામાં અત્યારે એક બેનમૂન એવો છે. સૌ મિત્રોને યાદી તમારા અભ્યાસ ક્યારે પૂરો થશે? પછી અંહી ક્યારે આવશો? સાથીની પસંદગી કરી કે પ્રો. જે. કૃષ્ણમૂર્તિ ને ગુરૂ બનાવ્યા છે? તમે ને ફરી તેવા સાઈન થાઓ તેવી મારી પ્રાર્થના છે. તમને ગુરૂ બનાવવા જોઇએ તમે કદાચ કૃષ્ણમૂર્તિના સીધા માણસ હશો તો શીષ્યવર્ગ નહિ ઉભા કરો પણ અમારે સ્કોલરશીપ તેવું કરવું પડશે. કાચા વગર ગુરૂએ અમો સીધા નથી રહી શકતા ખેર! વિશેષ જ્યારે પત્ર થશે.

લી. ચિન્મયદત્ત નુ

H. M. Botadra. 3/56 Sharda chawl. Topiwala Lane, Lamington Rd, Bombay 7 (India)

 







No comments:

Post a Comment